સૌરાષ્ટ્રને સંતોની ભૂમિ કહેવામાં આવે છે. અહીં ઘણા બધા સંતો થઇ ગયા ગયા. જેમાના એક છે બજરંગદાસ બાપા. બજરંગ દાસ બાપા આજે પણ સતના પરચા પુરે છે. બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાય ગયા છે કે આજે સૌરાષ્ટ્રમાં એક ગામ પણ એવો નહીં હોય જ્યાં બાપાની મઢુલી ના હોય.
બજરંગદાસ બાપા ભગવાન શ્રી રામના અને હનુમાનજીના ભક્ત હતા. બજરંગદાસ બાપાને લોકો બાપા સીતારામ તરીકે પણ ઓળખે છે. સૌરાષ્ટ્રના દરેક લોકોના દિલમાં બાપાસીતારામ કાયમ જીવતા રહેશે. બાપા બજરંગદાસ બગદાણા ધામમાં બિરાજમાન છે. લોકો અહીં બાપાના દર્શન કરવા જાય છે. કહેવાય છે કે અહીં દર્શને આવતા ભાગ્યશાળી લોકોને બાપા વડલાના પાનમાં દર્શન આપે છે.
વર્ષ 1906 માં ભાવનગરના હીરદાસ અને શિવકુંવરબાના ઘરે બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. બાપા રામનંદી સાધુના ઘરે જન્મ્યા હોવાથી તેમનું બાળપણનું નામ ભક્તિરામ હતું. બાપાને નાનપણથી જ ભક્તિમાં ખુબ રસ હતો. માત્ર 11 વર્ષથી ઉંમરે બાપા દીક્ષા લઈને સમાધિમાં લીન થયા હતા.
બજરંગ દાસ બાપાસે તેમના ગુરુ સીતારામ પાસેથી શિક્ષા લીધી હતી. જ્યારે બાપા દક્ષિણા આપવા માટે ગયા ત્યારે સીતારામે કહ્યું કે તમારે મને કઈ આપવાનું ના હોય તમે તો ગુરુ અવતાર છો. મારે તમને આપવાનું હોય. ત્યારે સીતારામ બાપુએ તેમને બજરંગી નામ આપ્યું અને કહ્યું કે આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે.
બજરંગદાસ બાપા ગુજરાત ભ્રમણ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ બગદાણા ધામ આવી પહોંચ્યા હતા. જ્યાં બડગ નદી આવેલી છે. ત્યારે બાપાને અહીં બગડેશ્વર મહાદેવ અને બગદાલમ ઋષિ બાપાને ગમી જતા તેઓ કાયમ માટે અહીં રહી ગયા. ત્યારબાદ વર્ષ 1951 માં તેમણે અહીં આશ્રમની સ્થાપના કરી.
બગદાણા ધામમાં બાપાએ અન્નક્ષેત્ર પણ શરૂ કરાવ્યું હતું. જેનો લાભ આજે પણ ભક્તો લઇ રહ્યા છે. બગદાણા ધામમાં એક આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરીને એક મંદિર બનાવવામાં આવ્યું. જેમાં શિવ પાર્વતીની ભવ્ય મૂર્ત મુકવામાં આવી. સમય વીતતો ગયો એમ ભક્તિરામ બજરંગ દાસના નામે ઓળખાવા લાગ્યા. તેમણે 1977 માં દેહ ત્યાગ કર્યો પરંતુ લોકોના દિલમાં કાયમ જીવતા રહેશે.